લૂક 8

8
ઈસુને સેવામા મદદ કરતી બાયુ
1થોડાક વખત પછી ઈ જુદા જુદા ગામોમાં અને શહેરોમાં જયને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરસાર કરતો ફરયો, એની હારે બાર ચેલાઓ હતાં, 2અને કેટલીક બાયુ જેને ખરાબ આત્માના મંદવાડમાંથી હાજી કરી હતી, એટલે મગદલાની મરિયમ જેનામાંથી હાત મેલી આત્મા નીકળી હતી, 3અને રાજા હેરોદના ખોઝા કારભારીની બાયડી યોહાન્ના અને સુસાન્ના અને બીજી ઘણીય બધીય બાયુ જે પોતાની પુંજી વાપરીને ઈસુ અને એના ચેલાઓની સેવામા મદદ કરતી હતી ઈ હોતન તેઓની હારે હતી.
વાવનારનો દાખલો
(માથ્થી 13:1-17; માર્ક 4:1-12)
4જઈ ઘણાય લોકો ભેગા થયા હતાં, અને નગરે નગરના ઘણાય લોકો એની પાહે આવ્યા, તઈ એણે દાખલાથી કીધુ કે, 5એક ખેડુત બી વાવવા નીકળો ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા ઈ પગ તળે ખુંદાઈ ગયા, આભના પંખીડા આવીને ઈ ખાય ગયા. 6બીજા બી પાણાવાળી જગ્યા ઉપર પડયા, એને પાણી નો મળવાથી ઈ ઉગ્યા એવા જ ઈ હુંકાઈ ગયા. 7બીજા કાંટામાં પડયા, કાંટાઓની જાળામાં પડયા, અને કાંટાની જાળાઓએ દબાવી દીધા. 8અને બીજા બી હારી જમીનમાં પડયા, ઈ ઉગયા, એને હો ગણા ફળ દીધા. ઈ વાતો કેતા એણે મોટી રાડ પાડીને કીધું કે, “જે મારી વાતો હાંભળી હકતા હોય, ઈ કાન દયને ધ્યાનથી હાંભળે અને હમજે.”
દાખલાનો હેતુ
(માથ્થી 13:18-23; માર્ક 4:13-20)
9એના ચેલાઓને એને પુછયું કે, “ઈ દાખલાનો અરથ શું થાય?” 10એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.
ઈસુ દાખલાનો અરથ હંમજાવે
(માથ્થી 13:18-23; માર્ક 4:13-20)
11દાખલાનો અરથ આ થાય છે: કે, બી પરમેશ્વરનું વચન છે, 12મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે, 13પાણાવાળી જમીનમાં વવાયેલું બી ઈજ છે કે, જેઓ વચન હાંભળીને તરત જ હરખથી માની લેય છે. પણ તેઓ પરમેશ્વરનાં વચનને પોતાના હૃદયમાં મુળયાનું ઊંડાણ નો હોવાના કારણે તેઓ થોડાક દિવસો હાટુ ભરોસો કરે છે, અને જઈ પરીક્ષણ આવે છે ઈ વખતે વચન ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેય છે. 14જે કાંટાવાળા જાળામાં પડેલા છે, ઈ એવા બી છે કે, જેઓએ વચન હાંભળ્યું, પણ જગતની ઉપાદી અને માલ-મિલકત પ્રત્યેની માયા અને સુખશાંતિમાં ફસાય જાય છે, અને તેઓ એવું કામ નથી કરતાં જે પરમેશ્વર તેઓથી ઈચ્છે છે. 15પણ જે બી હારી જમીન ઉપર પડયું છે, ઈ એવુ બતાવે છે કે, લોકો પરમેશ્વરનું વચન હાંભળીને તેઓના હ્રદયમાં હારી રીતે અને માનપૂર્વક અપનાવે છે. તેઓ વિશ્વાસ કરવામા અને વચન પાળવામાં મજબુત છે, જેથી તેઓને કોશિશ કરવાથી વારેઘડીયે હારું ફળ આપે છે.
દીવો હળગાવીને ક્યા મુકવાનો
16“વળી કોય માણસ દીવો હળગાવીને વાસણ તળે ઢાંકતો નથી, અને ખાટલા નીસે મુકતો નથી, પણ દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારને અંજવાળું મળે. 17ઈ આ બતાવે છે કે, કોય પણ એવી વસ્તુ નથી જે હતાડેલી રેહે, અને કોય પણ એવી વસ્તુ નથી જે હંતાડી હકાહે પણ બધુય ઉઘાડું કરાહે. 18ઈ હાટુ તમે કેવી રીતે હાંભળો છો? ઈ વિષે સેતતા રયો, કેમ કે જેની પાહે છે, એને અપાહે; અને હજી વધારે અપાહે પણ જેની પાહે કાય નથી; એની પાહે જે છે, ઈ પણ લય લેવામાં આયશે.”
ઈસુના માં અને ભાઈઓ
19એની માં અને એના ભાઈઓ એને મળવા આવ્યા, પણ લોકોની ગડદીને લીધે તેઓ ઈસુની પાહે જય હક્યાં નય, 20એણે કોયે ખબર આપી કે, “તારી માં અને તારા ભાઈઓ બારે ઉભા છે, તેઓ તને મળવા માગે છે,” 21પણ એણે એને જવાબ દીધો કે, “આ જેઓ પરમેશ્વરની વાત હાંભળે છે અને પાળે છે, ઈ મારી માં અને ભાઈઓ છે.”
ઈસુ તોફાન શાંત પાડે છે
22એક દિવસ ઈ એના ચેલાઓ હારે હોડીમાં સડયો, તઈ એણે તેઓને કીધું કે, “હાલો, આપડે દરિયાના ઓલા કાઠે જાયી.” એણે હોડી હાક્વાની શરુ કરી. 23તેઓ હાંકતા હતાં એટલામાં ઈસુ હુઈ ગયો; અને દરિયામાં મોટુ વાવાઝોડું થયુ, અને હોડીમાં પાણી ભરાય જાવા લાગ્યુ તેઓ મુસીબતમાં મુકાણા, 24તેઓએ એની પાહે આવીને એને જગાડીને કીધુ કે, “પરભુ હે પરભુ! અમારો નાશ થાય છે,” પછી ઈસુએ ઉઠીને વાવાઝોડું અને પાણીના મોજાને ધમકાવ્યા એટલે તેઓ બંધ થયા અને શાંતિ થય ગય, 25તઈ ઈસુએ તેઓને પુછયું કે, “તમારો વિશ્વાસ ક્યા છે?” તેઓ બીયને નવાય પામીયા અને અંદરો અંદર કીધું, “આ તો કોણ છે કે, જે વાવાઝોડાને અને પાણીને આજ્ઞા કરે છે, અને ઈ એનુ માંને છે.”
ભૂત વળગેલાઓને બારે કાઢવું
(માથ્થી ૧:૧)
26જઈ ઈસુ અને એના ચેલાઓ ગાલીલ દરિયાના ઓલા કાઠે ગેરાસાની લોકોના પરદેશમાં પુગ્યા. 27તઈ શહેરમાંથી એક માણસ ભેગો થયો, એને મેલી આત્માઓ વળગેલી હતી. ઈ ઘણાય વખતથી લુગડા પેરતો નતો, અને ઘરમાં નય, પણ મહાણમાં રેતો હતો, 28એણે ઈસુને જોયને રાડો પાડી અને પગમાં પડીને કીધુ કે, “પરાક્રમી પરમેશ્વરનાં દીકરા, ઈસુ! તારે મારી હારે શું કામ છે? હું તને વિનવણી કરું છું કે, તુ મને દુખ દેતો નય.” 29કેમ કે, ઈસુએ ઈ માણસમાંથી મેલી આત્માને નીકળવાનો હુકમ કરયો હતો કેમ કે, ઈ વારેઘડીયે વળગતું હતું. અને તેઓ એને હાકળોથી અને બેડીઓથી બાંધી રાખતા હતાં, પણ ઈ બંધનો તોડી નાખતો અને ઈ મેલી આત્મા એને વગડામાં લય જાતો હતો. 30ઈસુએ એને પુછયું કે, “તારું નામ શું છે?” એણે ઈસુને જવાબ દીધો કે, “સેના” કેમ કે એમા ઘણીય મેલી આત્માઓ હતી. 31મેલી આત્માઓએ ઈસુને બોવ વિનવણી કરી કે, “અમને આ ઊંડાણ ખાયમાં જાવા હાટુ હુકમ નો કર.” 32હવે ન્યા ઢોરાની ઉપર ડુંકરાનું એક મોટુ ટોળું સરતું હતું. ઈ બધાય મેલી આત્માઓએ ઈસુને વિનવણી કરી કે, અમને ડુંકરાઓમાં અંદર જાવા દે. એણે તેઓને જાવા દિધા. 33મેલી આત્માઓ માણસમાંથી નીકળીને ડુંકરાઓમાં ઘરયા, અને ઈ ટોળું ઢોરા ઉપરથી દરિયામાં પડીને મરી ગયુ
34જે થયુ ઈ જોયને ડુંકરા સરાવવાવાળા ભાગા, અને શહેરમાં અને ગામડામાં જયને ખબર કરી. 35જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા. 36જે માણસમાં મેલી આત્માઓ હતી ઈ કય રીતે હાજો થયો ઈ જેઓએ જોયું હતું તેઓએ બીજા લોકોને કીધું. 37ગેરાસાની આજુ-બાજુના પરદેશના બધાય લોકોએ ઈસુને વિનવણી કરી કે, અમારી ન્યાંથી વયો જાય; કેમ કે તેઓને ઘણીય બીક લાગી હતી. પછી હોડી ઉપર સડીને ઈ પાછો ગયો. 38પણ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળા હતાં, ઈ એને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.” પણ ઈસુએ એને મોકલતા કીધું કે, 39“તારા ઘરે પાછો જા અને પરમેશ્વરે તારી હાટુ કેવા મોટા સમત્કાર કરયા છે ઈ જણાવ.” તઈ ઈ માણસ જયને આખા શહેરમાં કેવા લાગ્યો કે, ઈસુએ એની હાટુ કેવા મોટા-મોટા કામ કરયા હતાં.
યાઈરની દીકરી અને લોહી વહેવાવાળી બાય
40જઈ ઈસુ પાછો આવ્યો, તઈ લોકોએ હરખથી આવકાર કરયો; કેમ કે, બધાય એની વાટ જોતા હતા. 41તઈ યાઈર નામનો એક માણસ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાનો એક અમલદાર હતો, અને એણે ઈસુના પગે પડીને વિનવણી કરી કે, મારા ઘરે આવ. 42કેમ કે, એને આશરે બાર વરહની એકની એક દીકરી હતી, ઈ ખાટલામાં મરવાની અણી ઉપર હતી, જઈ ઈસુ જાતો હતો તઈ ઘણાય લોકોએ એની ઉપર પડાપડી કરી.
43ન્યા એક બાય હતી, જેને બાર વરહથી લોહી વહેવાની બીમારી હતી. એણે એની બધીય પુંજી વૈદોની પાછળ ખરસી નાખી હતી પણ કોય એને હાજી કરી હક્યુ નોતુ. 44ઈ એની વાહે આવીને એના લુગડાની કોરને અડી, તરત એનુ લોહી જરતુ બંધ થય ગયુ, 45તઈ ઈસુએ એને પુછયું કે, “મને કોણ અડયું?” બધાએ ના પાડી તઈ પિતર અને જે એની હારે હતાં, તેઓએ એને કીધું કે, “હે પરભુ તારી ઉપર લોકોનું ટોળું પડાપડી કરે છે.” તને દબાવી દેય છે. 46પણ ઈસુએ કીધું કે, “કોય મને અડયું છે કેમ કે, મારામાંથી પરાક્રમ નીકળુ એવી મને ખબર પડી.” 47બાયે જોયું કે, ઈ પકડાય ગય છે, જેથી ઈ ધ્રુજતી-ધ્રુજતી આવીને ઈસુને પાહે પગે પડી. ઈ એને શું કામ અડી હતી અને પોતે કેવી રીતે તરત જ હાજી થય ગય ઈ વિષે ન્યા બધાયની હાજરીમાં એણે ઈસુને બધુય કય દીધું. 48ઈસુએ એને કીધું કે, “દીકરી, તુ બસી ગય કેમ કે, તે વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકું છું, એટલે તુ, શાંતિથી જા.”
49હજી ઈસુ બોલતો હતો એટલામાં યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારના ન્યાંથી એક માણસે એને આવીને કીધું કે, “તારી દીકરી મરી ગય છે, ગુરુને તકલીફ શું કામ દે છો?” 50પણ ઈસુએ ઈ હાંભળીને એને જવાબ દીધો કે, “બીમાં, પણ ખાલી મારી ઉપર વિશ્વાસ રાખ, એટલે ઈ હાજી થાહે.” 51ઈ ઘરમાં આવીને એણે પિતર અને યાકુબ યોહાન અને છોકરીના માં બાપ સિવાય કોયને અંદર આવવા દીધા નય. 52એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.” 53ઈ મરી ગય છે એમ જાણીને તેઓએ ઈસુની ઠેકડી ઉડાડી. 54પણ ઈસુએ એનો હાથ ઝાલીને મોટે અવાજે કીધું કે, હે દીકરી ઉઠ. 55એનો જીવ પાછો આવ્યો અને તરત ઉઠી એણે એને ખાવાનું આપવાનું હુકમ દીધો 56એના માં-બાપ સોકી ગયા, પણ ઈસુએ તેઓને આજ્ઞા આપી કે જે થયુ ઈ કોયને કેતા નય.

Tällä hetkellä valittuna:

લૂક 8: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään